કચ્છ રાપર ખાતેના અગરિયા એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીના જીવલેણ હુમલા થી મૃત્યુ નીપજેલ હોય તે સંદર્ભે રાષ્ટ્રીય રિપબ્લિકન પક્ષ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, સુરત,

 વિષય : તા 25/09/2020 ના રોજ કચ્છ રાપર ખાતેના અગરિયા એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીના ઉપર થયેલ જીવલેણ હુમલા ના કારણે તેઓનું મૃત્યુ નીપજેલ હોય અને તેઓને યોગ્ય સહકાર આપી આરોપી વિરૂધ્ધ કડક માં કડક કાર્યવાહી થાય તે બાબત તે સંદર્ભે રાષ્ટ્રીય રિપબ્લિકન પક્ષ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ઉપરોક્ત વિષયના અનુસંધાને તા. 25-9-2020 ના રોજ કાચબો કચ્છ જિલ્લાના રાપર ખાતે ત્યાંના અનુસૂચિત જાતિના એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરી ના ઉપર સાંજે અજાણ્યા શખ્સ દ્વારા છરી ના ઘા થી તેઓને લોહીથી લથપથ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ હુમલો એટલો નિર્દય રીતે કરવામાં આવેલ હતો જેથી તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. સદર ઘટના બનાવના સી.સી.ટી.વી.માં કેદ થયેલ છે. આમ જો કાયદાના રક્ષક તેમજ સમાજના અભિન્ન અંગ ગણાતા વકીલ ઉપર આમ સરેઆમ હુમલો કરી, અંતે તેમનું મૃત્યુ નિપજયુ. જેથી તે બાબત ખૂબ જ ગંભીર અને વખોડી કાઢવા જેવી બાબત છે. કલેકટર વિજ્ઞાપન દ્વારા નમ્ર અરજ કરવામાં આવે છે કે સદર બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ત્યાંના તપાસ અધિકારી આય.જી. ગુજરાત રાજ્ય, ગૃહ પ્રધાન ગુજરાત રાજ્ય ના ઓ ને આ પક્ષ રાષ્ટ્રીય રિપબ્લિકન પક્ષના તરફથી રજૂઆત કરી રહ્યા છે કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ આ અપીલ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર : હિના ભટ્ટ, સુરત

Related posts

Leave a Comment